વ્યારાના એક્યુપ્રેશર પાર્કનો 8 માસથી તૂટેલો દરવાજો રિપેર થતો નથી

0
વ્યારા ખાતે શ્રીરામ તળાવ નજીક એક્યુપ્રેશર પાર્કમાં આઠ મહિનાથી દરવાજો તૂટી જતા રખડતા પશુઓનો સામ્રાજ્ય વધી જવાની સાથે ત્યાં સાફ-સફાઈના અભાવે ગંદકીનો થર જામી રહેતા આ એક્યુપ્રેશરમાં આવતા મુલાકાતીઓમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે. વ્યારા પાલિકા દ્વારા એક્યુપ્રેશર પાર્ક બનાવવામાં આવ્યો છે. જ્યાં વિવિધ સુવિધાઓ પાણીમાં એક્યુપ્રેસર વોકિંગ, ઓક્સિજન આપતા ઝાડો, એક્યુપ્રેસર રસ્તા બનાવી સવાર સાંજ આવતા સહેલાણીઓ આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું હતું.



પરંતુ નગરપાલિકા દ્વારા પૂરતું ધ્યાન ન અપાતા એક્યુપ્રેશર પાર્ક તરફ જવાના રસ્તા ઉપર મૂકવામાં આવેલો દરવાજો આઠ માસથી તૂટી જવા છતાં તેને રીપેર કરાવવામાં આવ્યો નથી, જેને લઈને રખડતા પશુઓ અંદર ઘૂસી જાય છે. જેથી સવાર સાંજ ચાલવા આવતા સહેલાણીઓમાં મુશ્કેલી પડે છે. બીજી તરફ આપ પાર્કમાં સાફ-સફાઈનો સદંતર અભાવને કારણે ગંદકીનો જમાવડો થઈ જતા પાર્કમાં ચાલવા આવતા લોકોએ નાક બંધ કરી અથવા નાક પર રૂમાલ બાંધીને પસાર થવું પડવા એવી પરિસ્થિતિ ઊભી થઈ જતા લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top